13
Feb
Posted by Minaben Thakkar in Uncategorized. 5 Comments
-
ભક્તિનો ફેલાવો કરવો.
-
બહેનો બપોરના સમયે સૂઇ જવાના બદલે ભક્તિમાં પ્રવૃત્ત થઇ, સત્સંગમાં સમય પસાર કરે અને ભજન-સત્સંગ દ્વારા આત્માના આનંદનો સ્વાદ ચાખે.
-
ભજન-સત્સંગ દ્વારા સ્વેચ્છાએ જે દાન મળે તે સ્વીકારવું.
-
દાન એકઠું કરીને તેને રક્તપિત્તીયાની હોસ્પિટલ, બીજી હોસ્પિટલો, અનાથાશ્રમ, ઘરડા ઘર, ભણતા બાળકો, સમાજ વડે ઉપેક્ષિત વર્ગો અને ઢોર-ઢાંખર માટે વાપરીને તે દાનને પાછુ સમાજમાં અર્પણ કરવું.
-
ભજન સત્સંગના ફેલાવા માટે દાનનો ઉપયોગ કરવો.
13
Feb
Posted by Minaben Thakkar in Uncategorized. Leave a Comment
મીનાબેન પી. ઠક્કર. જેમણે ૧૯૯૫ ની સાલથી ‘ગોપી ભજન મંડળ’ ની સ્થાપના કરેલી છે. ભક્તિના વક્તવ્યને શાંત-નિર્મળ વાણીથી વહાવીને મધુર-ભાવવાહી ભજનો દ્વારા ભાવોન્માદમાં તરબોળ કરનાર વક્તા.
મીનાબેન તેમના અત્યંત સરળ સ્વભાવથી સર્વેના પ્રીતિપાત્ર બન્યા છે. હૃદયના ઉંડાણમાંથી છલકતું નિખાલસ હાસ્ય અને અ-માની વ્યક્તિત્વ એ જ તેમની ઓળખ છે.
તેમની અસ્ખલિત ભાવવાહી વાણીથી ભણેલા તેમજ ઓછુ ભણેલા સહીત તમામ ઉંમરની મહિલાઓના તેઓ પ્રીતિપાત્ર બન્યા છે.
ભજનની મુખ્ય ધારને વળગી રહેવાની નોંધપાત્ર વિશેષતા તેઓ ધરાવે છે. ઉપદેશાત્મક શૈલીથી તેઓ સદંતર દૂર છે.
Footprint of Minaben on a way to Satsang
13
Feb
Posted by Minaben Thakkar in Uncategorized. 4 Comments
મહિલા મંડળ હોઇ મહિલાઓ સભ્ય છે. જેમાં ૭૦ સભ્યો નોંધાયેલા છે. પરંતુ દંપતિ સાથે ભજનમાં આવે તે આવકાર્ય. Continue reading
13
Feb
Posted by Minaben Thakkar in Uncategorized. Leave a Comment
-
નવધા ભક્તિઃ નવ પ્રકારની ભક્તિનું નિરૂપણ. (૯ દિવસનો સત્સંગનો કાર્યક્રમ)
-
રામાયણઃ રામકથા(૭ થી ૯ દિવસનો સત્સંગનો કાર્યક્રમ)
-
ભાગવત કથાઃ (૭ દિવસનો સત્સંગનો કાર્યક્રમ)
-
સંતોના જીવન ચરિત્રોઃ મીરાબાઇ, ચૈતન્ય મહાપ્રભુ, તુલસીદાસ, તુકારામ જેવા સંતોના જીવન ચરિત્રો, સુંદરકાંડનું ગદ્યમાં નિરૂપણ. (૩-૩ દિવસના સત્સંગ કાર્યક્રમ)
-
આનંદનો ગરબોઃ બહુચરબાળી માતા અને વલ્લભ-ધોળાના આખ્યાન સહીત.(એક દિવસ)
-
જન્મ દિવસ નિમિત્તેઃ નંદ મહોત્સવ, રામ જન્મ જેવા ભજન-આખ્યાન. (એક દિવસ)
-
દિકરા કે દિકરીના લગ્ન નિમિત્તેઃ પ્રસંગ અનુસારના શામળીયાનો વિવાહ, રાધા વિવાહ, સીતા સ્વયંવર, રૂક્ષ્મણી વિવાહ, કુંવરબાઇનું મામેરૂ જેવા ભજન-આખ્યાનના પ્રસંગો. (એક દિવસ)
-
પુણ્યતિથી નિમિત્તેઃ શ્રધ્ધાંજલીના ભજન આખ્યાન. (એક દિવસ)
-
યજમાનની ઇચ્છાનુસારઃ સંત મહાત્માઓના જીવનચરિત્રો પર આધારીત ભજન-આખ્યાનના પ્રસંગો (એક દિવસ)
-
આખ્યાનના પ્રસંગોનું નિરૂપણઃ ભાવવાહી અને અર્થસભર મધુર ભજનો સાથે.
ભજનનો સમયઃ
રાત્રેઃ૯.૦૦ થી ૧૨.૦૦
અથવા
દિવસેઃ ૩.૦૦ થી ૬.૦૦
13
Feb
Posted by Minaben Thakkar in Uncategorized. Leave a Comment
(૧) સ્ટેજ (ર) પાથરણા (૩) લાઇટ (૪) ફૂલ-હાર (પ) યજમાનની ઈચ્છાનુસારનો પ્રસાદ.
ભજન-આખ્યાનમાં યજમાન દંપતિ તેમના કુટુંબ કબીલા અને મિત્ર મંડળ સાથે ભજનમાં બેસે તેવો હૃદયનો આગ્રહ.
ભજન-આખ્યાન દરમિયાન શાંતિ જળવાય તેવો આગ્રહ.
ભજન દરમિયાન કોઇ અવાજ થાય તો, તેવા પ્રસંગે કૃપયા યજમાને તત્પરતા દાખવીને શાંતિ પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કરવો.
સત્સંગ શરૂ થયા પછી પધારતા આમંત્રિતોને આવકારવા માટે યજમાને ઉભા ના થતાં શાંતિની જાળવણી કરવી.
આવેલા એવા આમંત્રિતોને કોઇપણ જાતના અવાજ વગર બેસાડી દેવા.
ભજન દરમિયાન આમંત્રિતોને ચ્હા-પાણી-નાસ્તો પીરસીને સત્સંગનું વાતાવરણ ના બગાડવું.
શાંતિ એ ઇશ્વરનો આકાર છે.
शांताकारं भूजगशयनं, पद्मनाभं सुरेशं,
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् ।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं,
वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥
13
Feb
Posted by Minaben Thakkar in Uncategorized. 2 Comments
(૧) ઢોલક-તબલા પ્લેયર,(ર) ઓર્ગન પ્લેયર, (૩) સાઉન્ડ સીસ્ટમનો ખર્ચ, અને (૪) મંડળના સભ્યોનો આવવા-જવાનો ભાડાનો ખર્ચ યજમાને ઉઠાવવાનો રહેશે. Continue reading
આપના મંતવ્યો